આજના યુગની સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિક ઝબલાથી દુર રહી કાપડની
થેલી વાપરી લોકો પર્યાવરણ બચાવે તે માટે છેલ્લા કેટલાક વખત થી અનેક
કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરતા આશાપુરા મહિલામંડળના જાગૃતિબેન વકીલ, સહજીવન સંસ્થાના શ્રી ધર્મેશ
અંતાણી, પ્રજેશભાઈ, અશ્વીનભાઈની ટીમે ‘ભુજ બોલે છે’ના જયભાઈ અંજારિયા અને
અસ્લમભાઇ જુણેજાની સાથે મુન્દ્રા રીલોકેશનમાં કાપડની થેલી ભેટ કરવાનો વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો. મુન્દ્રા રીલોકેશન ના આશાપુરા મહિલા મંડળ અને સહયોગનગર મંડળના બહેનો ના સહકાર થી મુન્દ્રા રીલોકેશન પર કતીરા કોમર્શીયલ
સેન્ટરની બધી જ દુકાનો અને લારી ગલ્લા વાળા પાસે થી પ્લાસ્ટિક ઝબલા એકત્રિત કરી તેમને કાપડની થેલીઓ આપી તે જ વાપરવા સમજાવ્યું હતું.